• સાઇટ મેપ
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ કરો

વેળાવદર કાળીયાર નેશનલ પાર્ક

ભાવનગર શહેર થી ૪૨ કીલોમીટર દુર, ભાલ વિસ્તારમાં આવેલ  વેળાવદર નેશનલ પાર્ક ની સ્થાપના  ૧૯૭૬મા થઇ હતી.  આ નેશનલ પાર્ક ના દક્ષિણમાં  ખંભાતનો અખાત આવેલ છે. આ પાર્ક ૩૪.૦૬ વર્ગ કીલોમીટર વિસ્તારમા ફેલાયેલ એક ઘાસનું મેદાન છે. આ  પાર્ક અગાઉ ભાવનગર ના મહારાજા, તેમના વિખ્યાત શિકારી  ચિત્તાઓ  દ્વારા કાળિયારનો શિકાર કરવામાં આવતો તે માટેની ખાનગી ઘાસવાળી જમીન હતી. પાર્ક ની ઉતર દિશામા વેસ્ટલેંડ અને ખેતીમાટે ની જમીન આવેલી છે. રાષ્ટ્રીય ઉદ્યાનને 4 બી ગુજરાત-રજવાડા બાયોટિક પ્રાંત અર્ધ શુષ્ક બાયો-ભૌગોલિક ઝોન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. સમતળ જમીન, સુકુ ઘાસ અને  હરણોના ટોળાંઓ હંમેશા આ પાર્કમાં મુલાકાતીઓને આકર્ષિત કરે છે જેમાં એક અનન્ય ઘાસવાળી  ઇકોસિસ્ટમ છે. કાળીયાર, વરુ અને લેસર ફ્લોરીક્ન (એક પ્રકાર નું પક્ષી ) માટે સફળ સંરક્ષણ કાર્યક્રમ ચાલુ છે. લેસર ફ્લોરીક્ન ને  વિશિષ્ટ ભારતીય પ્રજાતિ ગણવામાં આવે છે, તાજેતરના દાયકાઓમાં ભારતમાં લગભગ દરેક જગ્યાએ તેમની સંખ્યામાં ઘટાડો થતો હોય છે. આજે, આ પાર્કમાં સૌથી વધુ તેની વસ્તી ટકાવી રાખવામાં આવી છે. વર્ષ 2012-2013ના શિયાળાના નિરીક્ષણો દરમિયાનમા જોવા માઆવ્યું કે સ્થાનીય વરુની સંખ્યા વધી રહી છે, જેમ કે પટ્ટાવાળી હાયેના.

ફોટો ગેલેરી

કેવી રીતે પહોંચવું:

વિમાન દ્વારા

ભાવનગર એરપોર્ટ દૈનિક ફ્લાઇટ્સ દ્વારા મુંબઇ સાથે જોડાયેલું છે. સૌથી નજીકનું આંતરરાષ્ટ્રીય વિમાનમથક સરદાર વલ્લભભાઈ પટેલ 153 કિલોમીટરના રસ્તા પર છે.

ટ્રેન દ્વારા

નજીકનો રેલવે સ્ટેશન ધોળા શહેરમાં છે, જે ઉદ્યાનથી આશરે 50 કિમી દૂર છે.

માર્ગ દ્વારા

વલ્લભી પ્રાચીન નગરથી આશરે 30 કિમી દૂર છે.